જોશીનું ટીપણું - 1


ક્યારેય એવું બન્યું છે કે તમે ઘરેથી નક્કી કરીને કોઈ સ્થળે જવાં નીકળ્યાં હો પરંતુ ભૂલથી કે અજાણતાં કોઈક બીજાં જ સ્થળે જવાનો રસ્તો પકડી લીધો હોય? અને પછી અંતરમાં સ્ફૂરણા થઈ હોય કે હવે તો આ જ રસ્તે આગળ વધવું અને નવી જગ્યાનો આનંદ માણવો. અગાઉથી નક્કી કરેલી યોજનાને પડતી મૂકવી!

જીંદગીમાં આવા અંતરના અવાજને અનુસરીને લેવાયેલાં તાત્કાલિક નિર્ણયો ઘણીવાર અદભૂત નીવડે છે. નવો રસ્તો નવી તકોને લઈને આવી શકે છે. જ્યારે આપણે આપણી યોજનાઓને, દિનચર્યાને, સમયપત્રકને, વિચારોને જડતાપૂર્વક વળગી રહીએ છીએ ત્યારે અંતરનો અવાજ સાંભળવાનું ચૂકી જઈએ છીએ. હા, ચોક્ક્સ આ રીતે વળગી રહેવાથી આપણે કરવા ધારેલાં દરેક કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરી શકીએ છીએ. પરંતુ એ દરેક તકોને ચૂકી જઈએ છીએ જેના માટે આપણે કોઈ યોજના ઘડી નથી.

તમારી દિનચર્યાને થોડી બદલો. તમારા સમયપત્રકમાં આવતાં અવરોધોને ઓળખો. ગુસ્સે થવાની બદલે તમારી જાત સાથે વાત કરો અને અંતરના અવાજને અનુસરો. વિશ્વાસ રાખો કે જીંદગીમાં ઘટતી નાનામાં નાની ઘટના પણ કોઈ કારણ વગર ઘટતી નથી! 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા