ખંડગ્રાસ ચંદ્રગ્રહણ (ઓગસ્ટ 2017) નું બાર રાશિઓ પરત્વે ફળ

આજે તા.7.8.2017, શ્રાવણ શુક્લ પૂર્ણિમા, સોમવારના રોજ મકર રાશિમાં ખંડગ્રાસ ચંદ્રગ્રહણ જવા થઈ રહ્યું છે. આ ગ્રહણ ભારત સહિત સંપૂર્ણ એશિયા ખંડ, યુરોપ ખંડ, આફ્રિકા ખંડ, રશિયાના દક્ષિણ પ્રદેશમાં, ઓસ્ટ્રેલિયા, પેસિફિક મહાસાગર, હિંદી મહાસાગર, એટલાંટિક મહાસાગર, એંટાર્કટિકામાં દેખાશે. ગ્રહણની અવધિ ભારતીય સમય અનુસાર રાત્રિના 22.52 કલાકથી શરૂ થઈ 24.49 કલાક સુધી રહેશે. 

આ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ બાર રાશિઓ પરત્વે શુભ, અશુભ કે મિશ્ર પૈકી કેવું ફળ આપશે તે જોઈએ.

મેષ: શુભ ફળ – કારકિર્દી બાબતે નવી તકોની પ્રાપ્તિ થઈ શકે છે. નોકરી કે વ્યવસાયમાં પ્રગતિ થતી અનુભવી શકાય. સામાજીક પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય.

વૃષભ: મિશ્ર ફળ – લાંબી યાત્રાઓ કરવાનું ટાળવું. પિતાના આરોગ્યની કાળજી લેવી. ઉચ્ચ અભ્યાસમાં અવરોધ આવવવાની શક્યતા રહે.

મિથુન: અશુભ ફળ – પોતાના આરોગ્યની કાળજી લેવી. અચાનક કોઈ નુક્સાન થવાની સંભાવના રહે. શ્વસુરપક્ષ સાથે ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું.  

કર્ક: મિશ્ર ફળ – લગ્નજીવનમાં મતભેદો થવાની શક્યતા રહે. જીવનસાથી સાથે ગેરસમજ ન થાય તેની કાળજી રાખવી. વ્યવસાયમાં સમજી વિચારીને નિર્ણયો લેવા.

સિંહ: શુભ ફળ – શત્રુઓ અને હરીફો પર વિજયની પ્રાપ્તિ થઈ શકે. કાર્યક્ષેત્રે સહકાર્યકરો મદદરૂપ બનતાં જણાય. પરિચારકોના સુખની પ્રાપ્તિ થાય.

કન્યા: મિશ્ર ફળ – અભ્યાસમાં એકાગ્રતા જાળવવી મુશ્કેલ બને. સંતાનોને લગતાં પ્રશ્નો ઉદ્ભવવાની સંભાવના રહે. પ્રણયજીવનમાં ગેરસમજ કે મતભેદો થવાની શક્યતા રહે.

તુલા: અશુભ ફળ – મન અશાંત અને વ્યગ્ર બને. માતાના આરોગ્યની કાળજી લેવી. ઘરથી દૂર જવાના સંજોગો ઉભા થાય. વાહન કાળજીથી ચલાવવું.

વૃશ્ચિક: શુભ ફળ – જોખમો ઉઠાવવાનું સાહસ કરી શકો. સંદેશાવ્યવહાર દ્વારા નવા સંબંધો કેળવી શકાય. ભાઈ-બહેનોનો સહકાર અને મદદ મળવાની શક્યતા રહે.

ધનુ: મિશ્ર ફળ કૌટુંબિક પ્રશ્નો ચિંતા કરાવી શકે છે. વાણી પર સંયમ રાખવો. દલીલો કરવાથી દૂર રહેવું. આર્થિક બાબતો અંગે કટોકટી પેદા થવાની સંભાવના રહે.

મકર: અશુભ ફળ – નકારાત્મક વિચારો આવવાની સંભાવના રહે. ચિંતા અને ઉપાધિ રહે. શરીરની કાળજી લેવી. દેહને કષ્ટ અને પીડા પહોંચવાની શક્યતા રહે.

કુંભ: અશુભ ફળ – નાણાકીય વ્યય થવાની સંભાવના રહે. આરામપ્રદ નિદ્રાનો અભાવ જણાય. પરદેશને લગતાં કાર્યોમાં નુક્સાન થવાની સંભાવના રહે.

મીન: શુભ ફળ – ધનલાભ થવાની શક્યતા રહે. મિત્રો મદદરૂપ બને. ઈચ્છઓની પૂર્તિ શક્ય બને. કાર્યક્ષેત્રે લાભ થવાની સંભાવના રહે. નવી ઓળખાણો થઈ શકે છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શ્રી શનિ ચાલીસા

દશરથકૃત શ્રી શનૈશ્ચર સ્તોત્ર

ચોઘડિયાં અને હોરા